Posts

સુરખાઈ (ચીખલી) : સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજય. વિશ્વ પર્યાવરણ દિવસ ૫ જુન ૨૦૨૪ નિમિત્તે પર્યાવરણ સંરક્ષણ સંવર્ધન પરિસંવાદ

Image
 સુરખાઈ (ચીખલી) :  સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજય. વિશ્વ પર્યાવરણ દિવસ ૫ જુન ૨૦૨૪ નિમિત્તે પર્યાવરણ સંરક્ષણ સંવર્ધન પરિસંવાદ આપણે સૌ જાણીએ છીએ કે બીજા વિશ્વયુધ્ધ પછી દુનિયાના શાણા લોકો, સંગઠનો, રાજકીય નેતાઓ અને સમાજની વૈશ્વિક સમસ્યાઓના શાંતિપૂર્ણ ઉકેલ માટેના મંચ તરીકે સંયુકત રાષ્ટ્ર સંઘ (UNO) ની રચના કરી, ત્યારથી સંયુકત રાષ્ટ્ર સંઘ અંતર્ગત અનેક કાર્યક્રમો-અભિયાનો થયા છે. માનવીના ઉત્ક્રાંતિના અલગ અલગ તબકકાઓ કરતા ઔધોગિક ક્રાંતિ પછી આપણે જળ-જંગલ-જમીન અને ખનીજના અમર્યાદિત દહનથી પર્યાવરણનું સંતુલન બગાડયુ,  જેનાથી સમગ્ર સૃષ્ટિમાં આવનારા સંકટો અંગે વૈશ્વિક જાગૃતિ થાય તે માટે સને ૧૯૭૨માં સંયુકત રાષ્ટ્ર સંઘે ૫ જુને વિશ્વિ પર્યાવરણ દિવસની ઘોષણા કરી અને એની પ્રથમ ઉજવણી ૧૯૭૩ માં ' એકમાત્ર પૃથ્વી ” (ONLY ONE EARTH) ના થીમ (વિષય) પર કરવામાં આવી.  ત્યાર પછી દર વર્ષે અલગ અલગ વિષયો પર આવી ઉજવણી અનેક સ્તરે થતી રહી છે. આ વર્ષે " સંયુકત રાષ્ટ્ર સંઘ ' આ દિવસની વૈશ્વિક ઉજવણી '' આપણી જમીણ આપણું ભવિષ્ય " (OURLAND OUR FUTURE) વિષય પર સાઉદી અરેબિયા કરી રહેલ છે. હાલ વિશ્વમાં ગ્લોબલ વોર

ખેરગામ : સંકલ્પ એજ્યુકેશન ગૃપની આર્થિક રીતે નબળા બાળકોને અભ્યાસ માટે સહાય કરવાની અનોખી પહેલ

Image
  ખેરગામ : સંકલ્પ એજ્યુકેશન ગૃપની આર્થિક રીતે નબળા બાળકોને અભ્યાસ માટે સહાય કરવાની અનોખી પહેલ સંક્લ્પ એજયુકેશન ગૃપનાં વોટ્સ એપના નવ ગૃપમાં લગભગ 8000 હજાર જેટલા સભ્યો જોડાયેલ છે. જેમના સહયોગ થકી સમાજમાં ભણતાં ગરી બ વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવે છે. જેમાં હાલ આ સહાય 20,000ની મર્યાદામાં આપવામાં આવે છે. વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા આર્થિક રીતે નબળા બાળકોની માહિતી ગ્રુપમાં જોડાયેલ જે તે વિસ્તારના સભ્ય દ્વારા આપવામાં આવે છે. ત્યાર બાદ ગ્રૂપના સભ્યો ભેગા મળી નક્કી કરેલ તારીખે જે તે લાભાર્થીના ઘરે રૂબરૂ જઈ નાણાંકીય સહાય આપવામાં આવે છે. દરરોજના હિસાબનું સરવૈયું ગ્રુપમાં મૂકવામાં આવે છે જેથી ગ્રૂપના દરેક સભ્યો હિસાબ વિશે જાણી શકે. આ સંક્લ્પ એજયુકેશન ગૃપ નવ મહિના પહેલા શરૂ કરવામાં આવ્યું હતું. પ્રથમ ઓછા સભ્યોથી શરુઆત થઈ હતી. પરંતુ ગ્રુપની કામગીરીથી પ્રોત્સાહિત થઈ લોકો જોડાયા હતા. આ ગ્રુપની રચના પ્રાથમિક શિક્ષક શ્રી મીનેશભઈ પટેલ અને તેમના સાથી મિત્રો દ્વારા કરવામાં આવી હતી. સૌ પ્રથમ તેમણે સહાય કરવાની શરૂઆત નર્મદા જિલ્લામાં એકી સાથે નવ ઘરોની ઘર વખરી બળીને ખાક થઈ ગઈ હતી તેવા પરિવારોને મદદરૂપ

Valsad : ગ્રુપ દાન | બર્થડે કે લગ્ન તિથિએ દાન કરી ગરીબ બાળકોને શિક્ષણ : દિવ્ય ભાસ્કર રિપોર્ટ

Image
Valsad : ગ્રુપ દાન | બર્થડે કે લગ્ન તિથિએ દાન કરી ગરીબ બાળકોને શિક્ષણ : દિવ્ય ભાસ્કર રિપોર્ટ  સોશિયલ મીડિયાનો ઉપયોગ માત્ર સમય પસાર કરવા માટે નહિ પરંતુ સમાજસેવા કરવાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. વોટસઅપ ગ્રુપ થકી ચાલતી સમાજસેવાની અનોખી પહેલથી અનેક ગરીબ બાળકોના ભાવિમાં ઉજાસ પથરાયો છે તો ગરીબ પરિવારોને આર્થિક રીતે મદદરૂપ બન્યું છે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ. ગરીબ બાળકોના ભણતરમાં ખરાબ આર્થિક સ્થિતિને લીધે થતા ભણતરના સૂર્યાસ્તને સૂર્યોદયમાં ફેરવવા તેમજ ઉચ્ચ ડિગ્રી હાંસલ કરવાના સપના જોતા ગરીબ બાળકોના સપના પૂર્ણ કરવાના સંકલ્પ સાથે જાગૃત શિક્ષિત યુવાનોનું સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ કામ કરી રહ્યું છે. ગરીબ બાળકોના ભણતર માટે આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા બાળકોના ભણતર માટે એક અનોખી પહેલ સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ દ્વારા આશરે 8- 9 મહિના પહેલા કરવામાં આવી હતી. જેમાં વિવિધ વર્ગના કર્મચારીઓ જેઓ ગરીબીમાંથી ઊછરી શિક્ષણના પ્રકાશ થકી નોકરી મેળવી અને સમાજમાં પગભર થયા તેઓએ એક વિચાર સંકલ્પ દ્વારા નક્કી કર્યું કે આપણે સૌ ભેગા મળી જરૂરિયાતમંદ બાળકોને સહાય પૂરી પાડવી જોઈએ. જે સમાજના દાખલા ઉપર નોકરી મળી છે તે સમાજનો ઋણ

વાલોડના તીતવાના પરિવારનો ધરતીમાતાને નવપલ્લવિત કરવાનો અનોખો પ્રયાસ : ધબકાર ન્યૂઝ

Image
    વાલોડના તીતવાના પરિવારનો ધરતીમાતાને નવપલ્લવિત કરવાનો અનોખો પ્રયાસ : ધબકાર ન્યૂઝ આ ધરતી પર મનુષ્ય માત્ર એક એવો જીવ છે જેણે પોતાની સભ્ય સંસ્કૃતિ વસાવી છે, પરંતુ આ જ માનવીએ પોતાનું ઘર કહેવાય એવી ધરતીનું નખ્ખોદ વાળ્યું છે. પ્લાસ્ટિકનો વપરાશ, ગમે તેવો કચરો, વૃક્ષોનું નિકંદન અને કેમિકલનો ઉપયોગ કરીને પૃથ્વીને અપાર નુકસાન પહોંચાડયું છે, જેના કારણે ગ્લોબલ વોર્મિંગ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. પરંતુ આ બધાનો ઇલાજ પણ મનુષ્ય પાસે જ છે. આવું જ કંઇક વિચારીને તાપી જિલ્લાના વાલોડ તાલુકાના તીતવા ગામના એક પરિવારે પૃથ્વી અને પર્યાવરણને સાચવવાનું બીડું ઝડપ્યું છે, અને અન્ય લોકો માટે પ્રેરણા બને તેવું કાર્ય શરૂ કર્યું છે. છેલ્લા બે વર્ષથી આ પરિવાર અને ગ્રામજનોએ જંગલોમાંથી ૩૫ લાખ જેટલા લુપ્ત થતાં અને લોકોને ઉપયોગી એવા વૃક્ષોના બીજ એકત્રિત કરી તેને સિડ્સ બોલ બનાવ્યા છે અને તેને રોપવાની શરૂઆત કરશે. તિતવા ગામના એન્જિનિયર યુવક ઉત્પલ ચૌધરીએ  ગ્લોબલ વોર્મિંગને કઈ રીતે ઓછી કરી શકાય તે માટે ઘણા પુસ્તકો વાંચ્યા અને વૃક્ષો રોપવાની પ્રેરણા મળતા તેની શરૂઆત કરી. આ અંગે ઉત્પલ ચૌધરીએ કહ્યું કે જે રીતે વાતાવરણ હવામાન અને ઋ

Khergam : ખેરગામ જનતા જનતા કેળવણી મંડળના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ.

Image
 Khergam : ખેરગામ જનતા જનતા કેળવણી મંડળના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ. વતન : ખેરગામ વેણ ફળિયા ખેરગામ, નિવૃત્ત કેન્દ્ર શિક્ષક કુમાર શાળા ખેરગામ,  હાલ જનતા કેળવણી મંડળ ખેરગામ ખાતે ટ્રસ્ટી અને પ્રમુખ તરીકે સેવા પ્રદાન કરી રહ્યા છે.

ધરમપુર: ધરમપુર તાલુકાના શિક્ષક નિલેશભાઈ નિકુળિયાએ તેમના જન્મદિવસ નિમિત્તે આર્થિક રીતે ગરીબ વિદ્યાર્થી માટે સહાયરૂપ બન્યા.

Image
   ધરમપુર: ધરમપુર તાલુકાના શિક્ષક નિલેશભાઈ નિકુળિયાએ  તેમના જન્મદિવસ નિમિત્તે આર્થિક રીતે ગરીબ વિદ્યાર્થી માટે સહાયરૂપ બન્યા.  તેઓ એક શિક્ષક તેમજ એક સામાજિક કાર્યકર્તા પણ છે, તેઓ બાળકો ને ખુબ સુંદર રીતે અભ્યાસમાં ધ્યાન આપે છે, તેમ જ શૈક્ષણિક પ્રવૃત્તિ ખૂબ સુંદર રીતે કરે છે તેવો ધરમપુર વિસ્તારમાં સામાજિક કાર્યક્રમ તેમજ હાલમાં આનાથ બાળકો માટે આશ્રમશાળા બનાવવામાં ખૂબ સહયોગ આપ્યો છે,  પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ એમના સહયોગથી બનાવવામાં આવ્યું છે, તેઓ આશ્રમ શાળા માટે પોતાની જમીન ઉપર આશ્રમ બનાવ્યો છે આટલો ખૂબ સહયોગ અને સુંદર સેવા કરી છે મિનેશભાઇ પટેલના ગ્રુપ સાથે મળીને ખૂબ જલ્દી અનાથ બાળકો માટે આશ્રમશાળા ચાલુ કરવા જઈ રહ્યા છે. સંક્લ્પ એજયુકેશન ગૃપનાં admin મીનેશભાઈ પટેલે નિલેશભાઈને  તંદુરસ્ત ભર્યું જીવન રહે અને આનંદ મંગલમાં રહે એ માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.

ચીખલી ઘોડવણીના સક્રિય આદિવાસી સામાજિક કાર્યકર ઠાકોરભાઈ પટેલ દ્વારા અભ્યાસ કરતા ગરીબ બાળકો માટે સહાયરૂપ બન્યા.

Image
  ચીખલી ઘોડવણીના  સક્રિય આદિવાસી સામાજિક કાર્યકર ઠાકોરભાઈ પટેલ દ્વારા અભ્યાસ કરતા ગરીબ બાળકો માટે સહાયરૂપ બન્યા. ઠાકોરભાઈ જે પટેલ તરફથી અભ્યાસ કરતા ગરીબ બાળકો માટે રોકડ રકમ દ્વારા સંક્લ્પ એજયુકેશન ગૃપને સહાયરૂપ થયા છે  તેઓ ગામ ધોડવણી તા.ચીખલી નવસારીનાં રહેવાસી છે. તેઓ ગાંધીનગર  ખાતે  સચિવ સામાન્ય વહીવટ વિભાગ ગાંધીનગરમાં ફરજ બજાવી નિવૃત્ત થયા છે. તેમણે ગાંધીનગરમાં પણ સમાજ માટે ઘણા કામ કર્યા છે. હાલ તેઓ  જ્ઞાન કિરણ ધોડિયા સમાજ, સુરખાઈ રાનકુવા ખાતે પોતાની નિવૃત્તિનો સમય સમાજના ઉત્કર્ષ માટે ફાળવી સમાજ સેવા કરી રહ્યા છે. તેઓ દર વર્ષે ધોડિયા સમાજના લગ્ન વાંછુક યુવક યુવતીઓ માટે દર વર્ષે પસંદગી મેળાનું પણ આયોજન કરે છે.